Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

એક નવુ ટૂર પેકેજ

આઇઆરસીટીસી યાત્રીઓ માટે લાવ્યું નવી ઓફર

નવી દિલ્હી તા. ૬ : હવે જો તમારે કયાંક ફરવા જવું હોય તો આઈઆરસીટીસી એક નવું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ૭૦ વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે વીઝા ફી અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો પણ સમાવેશ થાય છે.

યાત્રીઓ માટે વિશેષ ઓફર મુકવામાં આવી છે. આ એક ટૂર પેકેજ છે. આ પેકેજમાં યાત્રીઓને સસ્તા દરે વિદેશ ફરવાની તક પણ પ્રાપ્ત થશે. આ પેકેજ અંતર્ગત ટીકિટ ૨૮ સપ્ટેમ્બર, ૨૪ નવેમ્બર, ૨૧ ડિસેમ્બર, ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ આ પાંચ તારીખોમાં બુક કરાવી શકો છો. આ અંગેની તમામ માહિતી ભારતીય રેલવેની અધિકારિક વેબસાઈટ આઈઆરસીટીસી ટૂરિઝમ ડોટ કોમ પર ઉપલબ્ધ છે.

આ પેકેજ અંતર્ગત રેલવે ચાર રાત્રી અને પાંચ દિવસની ટૂર ઓફર કરી રહી છે. આમાં શ્રીલંકાના કોલંબો, કેંડી અને નૂવારા ઈલિયા જેવી જગ્યાઓ પર ફરી શકાય છે. આ પેકેજમાં ૭૦ વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે વીઝા ફી અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો પણ સમાવેશ થાય છે. જો કે લોન્ડ્રી, લિકર, ડ્રાઈવર્સ, સહિતની સુવિધાઓ પેકેજમાં સમાવિષ્ટ નથી.

૨૮ સપ્ટેમ્બર માટે આ પેકેજની શરૂઆતી કીંમત ૪૫૨૯૦ રૂપીયા છે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે આ પેકેજની કીંમત ૪૬૩૯૦ રૂપીયાથી શરૂ થાય છે. આ રીતે અલગ અલગ તારીખે અલગ અલગ પ્રકારની ટૂર કીંમત નક્કી કરવામાં આવી છે.(૨૧.૩)

(11:39 am IST)