Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ટ્રેનની ટિકિટ બુક કરાવવાના નિયમોમાં બદલાવ

હવે પ્રવાસીઓએ ફોર્મમાં પોતાનું પુરૂ સરનામું, મકાન નંબર, ગલી, કોલોની, શહેર અને જિલ્લાની માહિતી પણ આપવી પડશે તેમ પ્રવાસ કરતી વખતે જે મોબાઇલ રાખો, એનો નંબર પણ ભરવો પડશે

નવી દિલ્હી, તા. ૬ : કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહી છે. આ વાઇરસના સંક્રમણથી બચાવ માટે માત્ર કન્ફર્મ ટિકીટ મેળવતા યાત્રીઓને જ રેલ્વેમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC એ ટ્રેનોના સંચાલનની સાથે કરન્ટ ટિકીટોના બુકીંગ પણ શરૂ કર્યા છે. જોકે કોરોનાને કારણે રેલ્વેએ રિઝર્વેશન ટિકીટના ફોર્મમાં કેટલાક પરિવર્તન કર્યા છે.

હવે આ માહિતી આપવી જરૂરી

હવે પ્રવાસીઓએ ફોર્મમાં પોતાનું પુરૂ સરનામું, મકાન નંબર, ગલી, કોલોની, શહેર અને જિલ્લાની માહિતી પણ આપવી પડશે તેમ પ્રવાસ કરતી વખતે જે મોબાઇલ રાખો, એનો નંબર પણ ભરવો પડશ. તેમ રિઝર્વેશન કાઉન્ટરોથી ટિકીટ લો અથવા IRCTCની વેબસાઇટ અથવા એપથી-બધામાં આ માહિતી આપવી પડશે.

ફોર્મ ભરવામાં મોડું થાય તો ટિકિટ ખતમ

જોકે આવામાં સવાલ એ ઉભો થાય છે  કે આનાથી ટિકિટ બુક કરવામાં મોડું થાય અને જયાં સુધી ફોર્મ ભરીશું ત્યાં સુધી ટિકિટ ખતમ થઇ જશે અથવા દલાલ એના પર કબ્જો કરી લેશે. જોકે રેલ્વે આ વિશે સ્પષ્ટતા કરી છે કે એક ફોર્મ ભરવામાં ૭૦ સેકન્ડથી વધુનો સમય નહીં લાગે.

રિઝર્વેશન સોફટવેર સિસ્ટમમાં બદલાવ

રેલ્વેએ પણ સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એટલે કે સોફટવેરમાં બદલાવ કર્યો છે. રેલ્વેએ સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર (PRS) થી જોડાયેલા સોફટવેરમાં પણ બદલાવ કર્યો છે. રેલ્વેના પ્રોફાર્મમાં પ્રવાસીને સરનામું, મકાન નંબર, ગલી, કોલોની શહેર અને જિલ્લાની માહિતી આપવી પડશે.

 IRCTC કેન્સલેશન અને રિફંડ નિયમ

રેલ યાત્રીઓન ટિકિટના કેન્સલેશન અને ભાડાના રિફંડના નિયમ ર૦૧પ લાગુ છે. કન્ફર્મ ટિકિટ પર ડિપાર્ચરના ચાર કલાક પહેલા ટિકિટ રદ નહી કરાવવા પર રેલ્વે તમને કોઇ રિફંડ નહીં આપે. જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને એને રદ કરાવવા ઇચે છો તો ડિપાર્ચરના ચાર કલાક પહેલા ટિકિટ રદ કરાવવા પર રિફંડ મળશે. જો ટ્રેન કેન્સલ થઇ તો કુલ રિફંડ આપવામા આવશે. તમે ટ્રેન ડિપાર્ચર ટાઇમના ત્રણ દિવસોની અંદરના સમયગાળામાં રિફંડ લઇ શકો છો.

(3:26 pm IST)