Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દિલ્હીઃ એક મેઈડથી ૨૦ લોકોને કોરોનાનો ચેપ લાગ્યોઃ ૭૫૦થી વધારે લોકો કવોરન્ટાઈન

દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૨૫ હજારને પાર

નવી દિલ્હી, તા.૬: દિલ્હીમાં કોરાના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પીતમપુરા વિસ્તારના તરુણ એન્કલેવમાં ૨૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે જેને કારણે હવે ૭૫૦થી વધારે લોકોને સેલ્ફ કવોરન્ટાઈનમાં રહેવા જણાવાયું છે. આ વિસ્તારને હવે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.

ડીએમના જણાવ્યા મુજબ, ૨૪ મેના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો પરંતુ ત્યારબાદ અહિંયા વધારે કેસ ૨૦ કેસ સામે આવ્યા હતા. કોરોનાના કેસ સામે આવ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે ડીસી, નોર્થ એમસીડીને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવા માટે જણવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હાલ કોરોનાના કેસ વધતા વિસ્તારને કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી  દેવાયો છે. સાથે જ તરુણ એન્કલેવમાં ઘર નંબર ૧૩૦થી લઈને ૩૪૦ સુધીના ૭૫૦થી વધારે લોકોને સેલ્ફ કવોરન્ટાઈનમાં રહેવા જણાવાયું છે.

જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં કોરોના એક ઘરમાંથી ફેલાયો છે, જયાં નિયમિત રીતે કામ કરવા માટે એક મહિલા આયા આવતી હતી. આ મહિલાથી પહેલા બાળકોને કોરોનો થયો ત્યારબાદ ઘરમાં રહેતા તમામ લોકોને ચેપ લાગ્યો હતો. ઘરના લોકો સાંજે પાર્કમાં પણ જતા હતા જયાંથી સંક્રમણ અન્ય લોકોમાં ફેલાયું હતું. કેસ ત્યારે સામે આવ્યા જયારે એક વ્યકિતએ તાવ અને કોરોના જેવા લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. દિલ્હીમાં કોરોના વાયરસના ૨૫,૦૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૫૦ લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

(10:09 am IST)