Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અભિનેત્રી પાયલ રોહતગીએ છત્રપતિ શિવજી મહારાજનું અપમાન કર્યું !! : એનસીપી લાલધૂમ : પોલીસ કાર્યવાહીની માંગણી

ઘણી ટીક્કાઓ થતા પાયલે ટ્વીટર પર માફી માંગી

મુંબઈ ;અભિનેત્રી પાયલ રોહતગીના એક ટ્વીટને કારણે વિવાદમાં સપડાઈ છે જોકે  આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે, એનસીપીએ પાયલ રોહતગી સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી છે અને કહ્યું હતું કે પાયલે મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આના માટે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

  પાયલ રોહતગીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શુદ્ર વર્ણમાં ખેડૂત પરિવારમાં થયો હતો અને યજ્ઞોપવિત સંસ્કાર અને પોતાની પત્ની સાથે પુનર્વિવાહ દ્વારા તેમને એક ક્ષત્રિય બનાવવામાં આવ્યા જેથી તેમનો રાજ્યાભિષેક કરી શકાય એટલા માટે લોકો વર્ણમાંથી બીજી વર્ણમાં પોતાની યોગ્યતાના બળે જઈ શકે છે, કોઈ જાતિવાદ નથી?

(1:55 pm IST)