Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કુમાર સ્વામી કેબિનેટનું આજે વિસ્તરણ

પ્રથમ તબક્કામાં જેડીએસના આઠથી નવ સભ્યોને સામેલ કરવામાં આવશે. બે ત્રણ જગ્યા ખાલી રાખવામાં આવશે

બેંગ્લોર, તા.૫: કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે કહ્યું હતું કે, આવતીકાલે પ્રથમ તબક્કામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેડીએસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યને સામેલ કરવામાં આવશે. કુમારસ્વામીએ મંત્રીમંડળના પ્રથમ તબક્કાના વિસ્તરણ પહેલા આજે કહ્યું હતું કે, મંત્રીમંડળ વિસ્તરણના પ્રથમ તબક્કામાં જેડીએસના આઠથી નવ સભ્યોને સામેલ કરવામાં આવશે. બે ત્રણ જગ્યા ખાલી રાખવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે પણ કેબિનેટ વિસ્તરણના અહેવાલને સમર્થન આપ્યું છે. આવતીકાલે બપોરે બે વાગે કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ થશે. કોઇપણ પ્રકારના મતભેદ હોવાના અહેવાલને કુમારસ્વામીએ રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, સાનુકુળરીતે સરકાર ચાલી રહી છે.

(12:00 am IST)