Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મુંબઇઃ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી' પાસે, ચા વાળો કોરોના શંકાસ્પદ - પૂરો વિસ્તાર સીલ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સીલ કરી દેવામાં આવેલ છે. માતોશ્રીની પાસે એક ચા વાળો પોતાની ચાની દુકાન ચલાવતો હતો. આ દુકાનદારને કોરોના વાયરસથી સંક્રમિત હોવાના શકમાં એને આઇસોલેશન વોર્ડમાં લઇ જવામાં આવ્યો અને માતોશ્રીને પણ સુરક્ષા નજરીયાને લઇ સીલ કરી દેવામાં આવેલ છે.

બીએમસીએ હવે અહીં નોટિસ ચોંટાડી છે આ નોટિસ પર લખવામાં આવ્યું કે જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. માતોશ્રી મહારાષ્ટ્રના સીએમના ઉધ્ધવ ઠાકરેનું પૈતૃક નિવાસસ્થાન છે જયાં તે પરિવાર સાથે રહે છે.

(11:10 pm IST)