Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સાદના બદલે પોતાની તસ્વીર મુકવા સામે નોમાનીની ચેતવણી

નવી દિલ્હી, તા. ૬ :  તબલીગી જમાતના વિવાદમાં કેટલાક પ્રમુખ મૌલાના સાદને બદલે પોતાની તસ્વીરનો ઉપયોગ કરી રહ્યાનું જણાવી ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના ખલી મુર્રહેમાન સજ્જદ નોમાનીએ આ બાબતે મીડીયા હાઉસ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.  નોમાનીએ કહ્યું છે કે, આ બધું મને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તેવું મને લાગે છે. મહામારી તે ફેલાતી રોકવા માટે સમાજના તમામ વર્ગના લોકોએ એક થવાની જરૂરત છે. ત્યારે સૌહાદે બગાડવાનો અવસર કોને પણ આપવો જોઇએ નહીં.

(2:14 pm IST)