Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

કેન્દ્રની મોદી સરકારની અયોગ્ય નીતિના કારણે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધારે વિકટ બની:ફારુખ અબ્દુલ્લા

એર સ્ટ્રાઈકના નામે રાજીનીતિ કરી રહ્યા હોવાનો આરોપ

 

દેશમાં મોદીજી એર સ્ટ્રાઈકના નામે રાજીનીતિ કરી રહ્યા હોવાનો આરોપ ફારૂખ અબ્દુલ્લાએ લગાવતા કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં અનેક લોકો મરી રહ્યા છે. મોદી સરકારની અયોગ્ય નીતિના કારણે આજે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધારે વિકટ બની છે.

  ફારૂખ અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યુ કે, મોદી સરાકરે 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજ સુધી કોઈના બેંક ખાતામાં રૂપિયા આવ્યા નથી. મોદી સરકારે  માત્ર  વાયદા કરી દેશમાં સત્તા હાસલ કરી. જેથી  લોકસભામાં દેશની જનતા ભાજપને જવાબ આપવાની છે.

(12:28 am IST)