Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કાયદાથી કોઇપણ ઉપર નથી જ : ભાજપનો મત

કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

         નવીદિલ્હી, તા. ૬ : કાર્તિ ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામ સામે આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભાજપે બેંક ફ્રોડને લઇને લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાના હેતુસર આ મામલો ઉઠાવ્યો છે. બીજી બાજુ ભાજપે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, કોઇપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું છે કે, તેઓ નક્કરપણે માને છે કે, દેશમાં કાયદાથી ઉપર કોઇ વ્યક્તિ નથી. ભ્રષ્ટાચારી વ્યક્તિ કાયદા હેઠળ જેલમાં જ હોવી જોઇએ. આ મામલામાં તપાસ સંસ્થાઓ પોતાની રીતે જ કામ કરી રહી છે. કોઇપણ રાજકીય પક્ષે દ્વેષ ભાવના મુદ્દાને શા માટે ઉઠાવે છે તે બાબત સમજાતી નથી. કાયદો પોતાની રીતે કામ કરે છે. આમા કોઇ દ્વેષભાવ નથી.

(7:38 pm IST)