સાંસદ ડો. ભારતીબેન શિયાળ દિલ્હીથી તાબડતોબ દોડી આવ્યા
અકસ્માતના સમાચાર મળતા તુરંતજ સારવાર મદદ કાજે ઉચ્ચ અધિકારીઓને 'દોડાવ્યા' તા
ભાવનગર તા. ૬ : રંઘોળા પાસે આજે વહેલીસવારે થયેલા ગમખ્વાર અકસ્માતના દિલ્હી પાર્લામેન્ટ બજેટ સત્રમાં હાજર સાંસદ ડો. ભારતીબેન શિયાળ અને તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ડો.ધીરૂભાઇ શિયાળને સમાચાર મળતા તુરંત જ કલેટકર, જીલ્લા પોલીસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, ડીએસઓ તેમજ સંબંધિત તમામ અધિકારીઓને તત્કાલ અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવારજનોને સારવાર તેમજ મદદ કરવા તાકીદ કરી હતી.
સાથેસાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવારજનોને સહાય આપવા વિનંતી પણ કરી છે.
ડો. ભારતીબેન શિયાળ અકસ્માતમાં ઘાયલ પરિવારજનોની મુલાકાતે અને મૃતકોની સ્મશાનયાત્રામાં હાજરી આપવા તત્કાલ દિલ્હીથી રવાના થઇ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોતના મુખમાં ધકેલાયેલ કમનસીબ જાનૈયાઓ
ભાવનગર તા.૬ : રંઘોળા નજીક જાનૈયા ભરેલો ટ્રક નાલામાં ખાબકતા ૩૦ જાનૈયાઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે.જેમાં ઓમ જીતુભાઇ પરમાર (ઉ.૧, રહે. ખરકડી) સુનિલ શંભુભાઇ મકવાણા (ઉ.ર૦ રે. સાંઢીડા મદેવ) છગનભાઇ જીલુભાઇ વાઘેલા (ઉ.૭૦ રહે. અનીડા) ધીરૂભાઇ માધાભાઇ પરમાર (ઉ.પ૦) મુકતાબેન પ્રવિણભાઇ વાઘેલા (ઉ.૪૦) શોભાબેન દિપેશભાઇ વાઘેલા(ઉ.૩૦), હિરાબેન લક્ષ્મણભાઇ વાઘેલા (ઉ.પ૦) વિક્રમભાઇ નટુભાઇ વાઘેલા(ઉ.૩૩), જીલીબેન છગનભાઇ વાઘેલા (ઉ.૬૦) અશોકભાઇ વાઘેલા (ઉ.૬૦) કિશનભાઇ અશોકભાઇ વાઘેલા (ઉ.૧૩) જીજ્ઞેષભાઇ નટુભાઇ ડાભી (ઉ.૩૬) સુરેશભાઇ અરજીભાઇ મકવાણા (ઉ.રપ) જસુબેન દિનેશભાઇ (ઉ.૩પ) રૂપાબેન હિંમતભાઇ ખોદાણા(ઉ.૧૭ રહે. વરલ) ભાવેશભાઇ ભોળાભાઇ ડાભી (ઉ.ર૮) અને દિનેશભાઇ પથુભાઇ (ઉ.૩પ રહે. રાજુલા) સહિતનાનો સમાવેશ થાય છે.
મૃતકોમાં વરરાજાના માતા-પિતા, ભાઇ-ભાભી, બહેન અને દાદીનો સમાવેશ
ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત ૨૭ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે, હાલ લગ્નવિધિ શરૂ થઈ ગઈ છે. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા, દાદી અને બહેનનું પણ મોત થયું છે.
ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી ૧૨ પુરૂષો, ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બહેનના મોત થયું છે, જયારે ૩૫દ્મક વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઈ છગનભાઈ વાઘેલા ઉ.વ.૪૫, માતા પ્રભાબેન પ્રવીણભાઈ વાઘેલા(ઉ.વ.૪૦), બહેન જશુબેન દિનેશભાઈ (રહે-તળાજા) અને વરરાજાના દાદી જાણીબેન છગનભાઈ વાઘેલા (ઉ.વ. ૬૦)નું પણ મોત થયું છે.
આ અકસ્માતમાં ૧. શોભાબેન દિનેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦, રહે. વરલ- તા-શિહોર), ૨. હીરાબેન લાલજીભાઈ વાઘેલા (રહે અનિડા)સ ૩. સુરાભાઈ મકવાણા (ઉ.વ.૨૫ રહે-અનિડા), ૪. પુનાભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ. ૬૦, રહે અનિડા), ૫. ધીરૂભાઈ માધાભાઈ પરમાર (ઉ.વ.૫૦ રહે અનિડા)નું મોત થયું છે.
ઉપરાંત અસ્મિતાબેન અશોકભાઈ વાઘેલા (ઉ.વ. ૧૭ રહે અનિડા), શોભાબેનની દીકરી (ઉ.વ.૧૬ રહે-વરલ), સંજયભાઈ ભુપતભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ રહે અનિડા), કિશનભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૧૬, રહે-અનિડા), વિક્રમભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ રહે-અનિડ)નું મોત થયું છે.
શાંતીભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦, રહે-અનિડા), હર્ષદભાઈ ભોપાભાઇ ડાભી (ઉ.વ.૨૨ રહે-અનિડા), કોમલબેન રામુભાઈ મકવાણા (ઉ.વ.૧૯ રહે-મીકડા તા-ઘોઘા), સુરેશભાઈ મૂળજીભાઈ ડાભી (ઉ.વ.૩૫ રહે - અનિડા), જીતેન્દ્રભાઈ હિમતભાઈ પરમાર (ઉ.વ.૨૫, રહે- ખરકડી, તા-ઘોખા)નું મોત થયું છે.
છેલ્લી ઘડીએ કારની વ્યવસ્થા થતાં વરરાજા કારમાં ગયા અને જીવ બચી ગયો
ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત ૩૧ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. આ અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વરરાજા પણ આ જ ટ્રકમાં જવાનો હતો. જોકે, છેલ્લી ઘડીએ પ્લાન ચેંજ થતાં તેનો જીવ બચી ગયો છે. આ અંગેની વિગતો એવી છે કે, પાલિતાણાના અનિરાના કોળી યુવક વિજય વાઘેલાના આજે બોટાદના ટાટમ ખાતે લગ્ન હતા. વરરાજા સાધારણ પરિવારનો હોવાથી પરિવારે જાન લઈને જવા માટે એક ટ્રક બાંધ્યો હતો. આ જ ટ્રકમાં બેસીને વરરાજા પણ પરણવા જવાના હતા.
જોકે, છેલ્લી ઘડીએ વરરાજને કારની વ્યવસ્થા થતાં તેઓ વહેલી સવારે કારમાં બેસીને બોટાદના ટાટમ ખાતે આવી ગયો હતો. બીજી તરફ આખો પરિવાર અને સંબંધીઓ ટ્રકમાં બેસીને ટાટમ આવી રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા રંઘોળા પાસે ૨૦ ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકયો હતો.
ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી ૧૧ પુરૂષો, ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બેહનના મોત થયું છે, જયારે ૩૫થી વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.