Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઈમરાનખાન વિરોધ પ્રદર્શન શરૂ કરશે તો ધરપકડ કરાશે:ગૃહમંત્રી સન્નાઉલ્લાહે આપી આકરી ચેતવણી

સનાઉલ્લાહે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ કરીને એ જ જેલમાં મોકલાશે જ્યાં અગાઉ તેમને મોકલાયા હતા : મુલતાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના કાર્યક્રમમાં સનાઉલ્લાહે આ ચેતાવણી આપી

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે સોમવારે જણાવ્યું હતું કે જો ઈમરાન ખાન સરકાર વિરોધી પ્રદર્શનમાં સામેલ થયા તો તેમની ધરપકડ કરવામાં આવશે.મુલતાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના કાર્યક્રમમાં સનાઉલ્લાહે આ ચેતાવણી આપી હતી 

આ પહેલા ઈમરાન ખાને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓને  અને સામાન્ય લોકોને જેલ ભરો આંદોલન માટે તૈયાર થવાનું આહવાન કર્યું હતું. ઈમરાન ખાનના સાથી ફવાદ ચૌધરી સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સનાઉલ્લાહે મૂશ્કેલીઓ ઉભી કરવા માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યો હતો.

સનાઉલ્લાહે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ કરીને એ જ જેલમાં મોકલવામાં  આવશે, જે જેલમાં અગાઉ તેમને મોકલવામાં આવ્યો હતો. આ સિવાય પીટીઆઈ પાર્ટીના અન્ય નેતાઓએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ ધરપકડથી ડરતા નથી અને ઈમરાન ખાનની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે.

 

(9:28 pm IST)