Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 1300ને પાર પહોંચ્યો ;5 હજારથી વધુ લોકો ઘાયલ

તુર્કીમાં ઓછામાં ઓછા 6 વખત જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા ; ભૂકંપને કારણે તુર્કી અને સીરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં પણ ભારે તબાહી

નવી દિલ્હી :આજે સવારે તુર્કીના દક્ષિણમાં ગાઝિયાનટેપ પાસે આવેલો ભૂકંપ કેટલો વિનાશકારી હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 નોંધવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ જીએફઝેડ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 18 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણે તુર્કી અને સીરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં પણ ભારે તબાહી સર્જાઈ છે.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલમાં આ આંકડો 1300ને પાર કરી ગયો છે. આ સિવાય 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આપને જણાવી દઈએ કે તુર્કીમાં ઓછામાં ઓછા 6 વખત જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. એર્દોગને લોકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા વિનંતી કરી હતી.

 

સોમવારે વહેલી સવારે મધ્ય તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી બીજો જોરદાર ભૂકંપ આવ્યો. જાણકારી અનુસાર, પહેલા ભૂકંપના લગભગ 10 મિનિટ બાદ ફરીથી 6.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. આ શક્તિશાળી ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સેનલીઉર્ફા શહેરના મેયરે જણાવ્યું હતું કે જોરદાર ભૂકંપના કારણે 16 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય 2000થી વધુ ઈમારતો ધરાશાયી થવાના સમાચાર છે.

 

(7:55 pm IST)