Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

યુપીના સીએમ યોગી આદિત્યનાથને જુનાગઢ લઘુકુંભ મેળાનંુ સંતો અને સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા આમંત્રણ

આગામી તા.ર૭ થી ૪  માર્ચ  સુધી ગિરનાર શિવરાત્રી કુંભ મેળો યોજાનાર છે. જેમાં ઉતરપ્રદેશના મુ.મંત્રી શ્રી યોગી આદિત્યનાથજી પુ. સાધ્વી ઋતંુભરાજી તથા પુ.મોરારી બાપુની અધ્યક્ષતામાં સામાજીક સમરસ્તા સંત સંમેલન તા.૧ માર્ચની આસપાસ યોજાનાર છે. જેમાં યોગી આદિત્યનાથ આવવાના છે ત્યારે યુપીના પાટનગર લખનૌ ખાતે યોગીજીને આમંત્રણ આપવા પહોંચેલ મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ પુ.શેરનાથબાપુ સાથે ગુજરાત રાજયના કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રવાસન મંત્રીશ્રી  ગણપત વસાવા યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહકારી આગેવાન બાબુભાઇ પટેલ વગેરે તસ્વીરમાં શ્રી યોગીજીને મેળામાં આવવા નિમંત્રણ આપતા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા) (૪.૪)

(3:28 pm IST)