Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સલમાનએ એક ટ્વીટથી મિસ્ટ્રીગર્લનો કર્યો રહસ્યસ્ફોટ

ફેન્સને લાગ્યું ભાઈજાન 'વારીના 'સાથે ,,,,નિકાહના બંધને બંધાશે પરંતુ સલ્લુએ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી :બોલીવુડના ભાઇજાનને એક ટ્વીટથી સોશ્યલ મીડિયા તોફાને ચડ્યું હતું સલમાનખાને ટ્વીટ કરીને મિસ્ટ્રીગર્લ વિષે જબરો ખુલાસો કર્યો છે ગણતરીના કલાકો પહેલાં સલમાનના એક લાઇનના ટ્વીટથી તેના ફેન્સ વચ્ચે ખુશીઓનો માહોલ હતો.કોઇ જાણતુ ન હતું કે સલમાન કઇ યુવતીના વાત કરી રહ્યો છે પરંતુ હવે સલમાને જ આ રહસ્ય છતું કરી દીધું છે સલમાને જેના માટે ટ્વિટ કર્યું છે તેનું નામ વારિના છે.

  સલમાનના ટ્વિટથી તેના ફેન્સને લાગી રહ્યું હતું કે ભાઇજાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે પરંતુ સલમાને આ વાતનો ખુલાસો કરી દીધો છે. સલમાને ટ્વીટ કર્યું કે તેણે પોતાના માટે નહી પરંતુ પોતાના જીજાજી માટે આ છોકરીને પસંદ કરી છે. સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને સલમાન બોલિવુડમાં લોન્ચ કરવા જઇ રહ્યો છે. વારિના આયુષ શર્માની ફિલ્મમાં હિરોઇન તરીકે જોવા મળશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ લવરાત્રિનામની ફિલ્મથી બોલીવિડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વારિના જોવા મલશે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિરાજ મીનાવાલા કરશે.સલમાન ઘણાં સમયથી પોતાના બનેવી આયુષ શર્માને બોલાવુડમાં લોન્ચ કરવાનો પ્રકયાસ કરી રહ્યો હતો અને આખરે તે લવરાત્રિ દ્વારા રૂપેરી પડદે આગમન કરવા જઇ રહ્યો છે.

(9:43 pm IST)