Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

તાજમહલ તેજ મંદિરમાં જલ્દી ફેરવાઇ જશેઃ વિનય કટિયાર

લખનૌ તા.૬ : સંસદસભ્ય વિનય કટિયારે તાજમહલ માટે ફરી એકવાર વિવાદાસ્પદ બયાન આપ્યુ છે. વિનય કટિયારે ગઇકાલે કહ્યુ હતુ કે, તાજમહલ જલ્દી તેજ મંદિરમાં ફેરવાઇ જશે. આગરામાં ચાલતા તાજ મહોત્સવ વિશે પ્રશ્ન પુછતા તેમણે કહ્યુ હતુ કે, આને તાજ મહોત્સવ કહો કે તેજ મહોત્સવ બંને એક જ વસ્તુ છે. તાજ અને તેજમાં ખાસ ફરક નથી. આપણા તેજ મંદિરને ઔરંગઝેબે કબ્રસ્તાનમાં ફેરવ્યુ હતુ. તાજમહલ જલ્દી તેજ મંદિરમાં ફેરવાઇ જશે. આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં નહોતો, એ સમયે આ તેજ મંદિર હતુ.

(2:19 pm IST)