Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ સિંધુ બોર્ડર પહોંચ્યો : ખેડૂત આંદોલનમાં એક કરોડ દાનમાં આપ્યા

દિલજીતના આ પૈસાથી ખેડૂતોને ગરમ કપડા આપવામાં આવશે

નવી દિલ્હી : પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ શનિવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. દોસાંજે અહીં ખેડૂતોની વચ્ચે જઈને બેઠો હતો. દિલજીતે અહીં કહ્યુ હતું કે, આપ સૌને સલામ, ખેડૂતોએ એક નવો ઈતિહાસ રચ્યો છે. આ ઈતિહાસ આવનારી પેઢીઓ યાદ રાખશે

  દિલજીત હાલમાં કંગના સાથેના વિવાદને લઈને ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે અવુ પણ જાણવા મળ્યુ છે કે, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં દિલજીતે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. દિલજીતે ઠંડીમાં ખેડૂતોને બચવા માટે આ પૈસા દાનમાં આપ્યા છે. આ પૈસાથી ખેડૂતોને ગરમ કપડા આપવામાં આવશે.

  પંજાબી સિંગર સિંઘાએ પોતાના એક વીડિયો મેસેજમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સાથે જ દિલજીતે કરેલા આ યોગદાન બદલ તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સિંઘાએ જણાવ્યુ હતું કે, દિલજીતે આ મોટુ દાન કર્યુ છે અને તેનો પ્રચાર પણ કર્યો નથી. તેને આ વાતને કોઈ મોટી ડીલ બનાવવાનો પ્રયાસ પણ કર્યો નથી

(10:35 pm IST)