Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજસ્થાનની નીતુ માસીએ નવ વર્ષમાં ૯૦ લગ્ન કરાવ્યા

કિન્નર દ્વારા લગ્ન સમારોહની અનોખી મિશાલ : નાત-જાતના ભેદ વગર ગરીબ દિકરીના લગ્ન ધામધૂમથી કરાવી લગ્ન બાદ પણ નીતુ માસી તેમની સંભાળ રાખે છે

ભરતપુર, તા. : તમે કોઈ પણ લગ્નપ્રસંગમાં કિન્નરની હાજરી જોતા હશો. પરંતુ તેમના લગ્ન સમારોહની જવાબદારી લેવાની અનોખી મિસાલ રાજસ્થાનના ભરતપુરમાં આપવામાં આવી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ ભરતપુરની કિન્નર નીતુ માસી વિશે. જેમણે સતત વર્ષથી ૯૦ ગરીબ દીકરીઓના ધામધૂમથી લગ્ન કર્યા છે. આટલું નહીં, કોરોના સમયગાળામાં પણ સિલસિલો યથાવત રહ્યો. દર વર્ષની જેમ વર્ષે પણ તેમણે સમૂહ લગ્ન સમારોહ કરાવ્યો, જેમાં નીતુ માસી દ્વારા ૧૦ ગરીબ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. દરમિયાન દીકરીઓને લગ્નની બધી વસ્તુઓ અને સોનાના દાગીના પણ આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, દસ લગ્નમાંથી મુસ્લિમ અને હિન્દુઓના હતા, પરંતુ લગ્ન એક મંડપ નીચે કરાવાયા હતા. ભરતપુરમાં કિન્નરોની અનોખી પહેલ દરેકને ચોંકાવી રહી છે. તેમજ હિન્દુ-મુસ્લિમ એકતાને પણ પ્રોત્સાહન આપી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૬૬ વર્ષીય કિન્નર નીતુ માસી છેલ્લા વર્ષથી અત્યાર સુધી ૯૦ ગરીબ દીકરોઓના લગ્ન કરાવી ચૂકી છે. માસીની જવાબદારી માત્ર લગ્ન કરાવવા સુધી નથી, પરંતુ લગ્ન બાદ સાસરે ગયા પછી પણ તે દીકરીઓની સંભાળ રાખે છે. તેમની બધી જરૂરિયાતને સતત પૂર્ણ કરે છે. સાસરામાં દીકરી ખુશ છે કે કેમ તેની પણ કાળજી લેવામાં આવે છે. અભિયાનમાં સમસ્ત કિન્નર સમાજ તેમનો સાથ આપી રહ્યો છે. કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વખતે બે-બે લોકો બોલાવ્યા કિન્નર નીતુ માસીએ જણાવ્યું હતું કે, આજે ૧૦ દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે, જેમાં તમામને સંપૂર્ણ સામાન આપવામાં આવી રહ્યો છે. જાનૈયાઓ માટે સારી મેજબાનીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત  માહિતી અનુસાર લગ્ન સમારંભમાં લાખો રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ નીતુ માસી જાતે બધા લગ્નનો ખર્ચ ઉઠાવે છે તેઓ કોઈની પાસેથી મદદ નથી લેતા. નીતુ મૌસીએ જણાવ્યું હતું કે, વર્ષે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખતાં વરરાજાની વધૂ પક્ષથી ફક્ત બે-બે લોકોને આમંત્રણ અપાયું હતું.

તમને જણાવી દઈએ કે, કિન્નર નીતુ માસીએ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમને ભાજપ દ્વારા ટિકિટ પણ આપવામાં આવી હતી. તેઓ મહાનગરપાલિકાના વોર્ડ ૨૯માંથી કાઉન્સિલર રહી ચૂક્યા છે. નીતુ માસી કહે છે કે સમાજ માટે કંઈક સારું કરવું મારા માટે સૌભાગ્યની વાત છે.

(7:34 pm IST)