Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

લક્ષદ્રીપના વહીવટદારનો હવાલો પ્રફુલ પટેલને

રાજકોટ તા. પ : કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્રિપના વહીવટદાર શ્રી દિનેશ્વર શર્માનું અવસાન થતા તેમની જગ્યાનો વધારાનો હવાલો દીવ-દમણના વહીવટદાર શ્રી પ્રફુલ પટેલને સોપવામાં આવ્યો છે. શ્રી પ્રફુલ પટેલ મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. અગાઉ ગુજરાતમાં ગૃહરાજય મંત્રી પદે રહી ચૂકયા છે. છેલ્લા સવાચાર વર્ષથી દીવ-દમણના વહીવટદાર છે.

(2:36 pm IST)