Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

થાઈલેન્ડે ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ ફી માફીની મુદ્દત લંબાવી

30 એપ્રિલ 2020 પહેલા થાઈલેન્ડ 15 દિવસ કે તેથી ઓછા પ્રવાસે જશો તો ફી નહીં ચૂકવી પડે

નવી દિલ્હી : થાઈલેન્ડની ટૂરિઝમ ઓથોરિટીએ જાહેરાત કરી છે કે તે છ મહિના માટે 20 દેશોના યાત્રીઓની વિઝા ઓન અરાઈવલ ફી માફ કરશે. આ મુદતની શરૂઆત 1 નવેમ્બર 2019થી થી 30 એપ્રિલ 2020 સુધીની છે. આ 20 દેશોમાં ભારત અને ચીનનો સમાવેશ થાય છે.

થાઈલેન્ડ ઉતરો ત્યારે  2000 બ્હાત વિઝા ઓન અરાઈવલ ફી આપવી પડે છે જે રૂ. 4680 જેટલી થાય છે. હવે  30 એપ્રિલ 2020 પહેલા થાઈલેન્ડ 15 દિવસ કે તેથી ઓછા પ્રવાસે જશો તો  આ ફી નહિ ચૂકવવી પડે. એટલે કે થાઈલેન્ડના ટૂર પેકેજમાંથી ઘણા રૂપિયા ઓછા થઈ જશે.

આ જાહેરાત રોયલ થાઈ ગવર્મેન્ટ ગેઝેટમાં 31 ઓક્ટોબર 2019ના રોજ થઈ હતી. સરકારે 15 નવેમ્બર 2018થી વિઝા ઓન અરાઈવલ ફીમાં માફી આપવાની શરૂઆત કરી હતી. સરકારે આ બીજી વાર મુદ્દત લંબાવી છે. ઉલ્લેખનીય છે કે આ પગલાને કારણે થાઈલેન્ડમાં વિદેશીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

(12:39 am IST)