Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળુ ખોલાવેલઃ યુપીમાં રાષ્ટ્રપતિ શાસન અંગે નરસિંહરાવ અવઢવમાં હતાઃ માધવ ગોડબોલે

રામ મંદિર અંગે પૂર્વ ગૃહ સચિવે આપ્યું બે પૂર્વ વડાપ્રધાન પર મહત્વનું નિવેદન

નવી દિલ્હીઃ દેશના પૂર્વ  ગૃહ સચિવ માધવ ગોડબોલેએ રામ મંદિર મુદ્દે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હા રાવ પર મહત્વનું નિવેદન આપ્યું છે. માધવ ગોડબોલેએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૨માં બાબરી મસ્જીદની સુરક્ષા માટે અમે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવને શંકા હતી કે બંધારણ તરફથી તેમને આ અધિકાર મળે છે કે કેમ

એમણે કહ્યું કે જો રાજીવ ગાંધી કોઈ નિર્ણય લઇ શકયા હોત તો આ સમસ્યાનો ઉકેલ આવી જાત. કેમકે એ સમયે સમજૂતીની શકયતાઓ હતી અને સમાધાન સ્વીકારી શકાય તેવું હતું. રાજીવ ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે બાબરી મસ્જિદનું તાળુ ખોલવાનો આદેશ આપ્યો હતો. તેથી હું તેમને આ આંદોલનના બીજા કારસેવક કહું છું તેમ માધવ ગોડબોલેએ જણાવ્યું.

(3:37 pm IST)