Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જીએસટી સંગ્રહમાં ઘટાડાથી સરકાર ચિંતિત : 9મીએ મંત્રીસમૂહ દિલ્હીમાં કરશે મનોમંથન

જીએસટી સંગ્રહમાં ઘટાડાના કારણો અંગે થશે ચર્ચા: મહેસૂલ વધારવાના વિકલ્પો અંગે વિચાર-વિમર્શ પણ કરાશે

નવી દિલ્હી : જીએસટી સંગ્રહમાં થયેલ ઘટાડાને ધ્યાનમાં રાખી આ સપ્તાહે દિલ્હીમાં એક મોટી બેઠક મળવા જઈ રહી છે. જીએસટી મહેસૂલ વસૂલાતને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં બનેલું મંત્રીઆેનું ગ્રુપ આ મુદ્દે મંથન કરશે.

સુશીલ મોદીએ કહ્યું કે મહેસૂલમાં થઈ રહેલા ઘટાડા અંગે જીએસટી કાઉન્સીલ હેઠળ બનેલી મંત્રીઆેના ગ્રુપની બેઠક નવ નવેમ્બરે પ્રસ્તાવિત છે. આ બેઠક દિલ્હીમાં મળશે. અમે તેના માટે તમામ સભ્યોને પત્ર મોકલ્યો છે. તમામ રાજ્યોની સહમતિ મળી ગયા બાદ આ સપ્તાહે બેઠક મળશે.
આ બેઠકમાં જીએસટી સંગ્રહમાં ઘટાડાના કારણો અંગે ચર્ચા કરવામાં આવશે અને મહેસૂલ વધારવાના વિકલ્પો અંગે વિચાર-વિમર્શ પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં દેશની હાલની આર્થિક સ્થિતિ અંગે પણ ચર્ચા થશે. સાથે સાથે જીએસટી વસૂલાતમાં આવેલા ઘટાડાના કારણોની પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જીએસટી ચોરીના આંકડા અને તેની મોડસ આેપરેન્ડી ઉપર નજર રાખવા અને આવું ન થાય તે માટે કડક નિયમો અમલી બનાવવા પણ રાજ્યોને નિર્દેશ અપાશે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી ચર્ચામાં જીએસટી મહેસૂલ વધારવાને લઈને કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોનિટરિ»ગની સલાહ આપવામાં આવી હતી. એ બેઠકમાં સરકારને જીએસટી ઈન્ટેલીજન્સ તરફથી મળેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ ચોરીની રીતભાત અંગેની જાણકારી આપવામાં આવી હતી.

(1:18 pm IST)