Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

આસામઃ મલકાનગીરીમાં સુરક્ષાદળો અને નકસીલો વચ્ચે મુઠભેડઃ ૫ નકસલી ઠાર

ભારે માત્રામા શસ્ત્રો જપ્તઃ શોધખોળ શરૂ

ભુવનેશ્વર, તા.૫: ઓડિશાના મલકાનગીરીમાં નકસલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં સુરક્ષા દળોએ ૫ નકસલીઓને ઠાર કર્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ એનકાઉન્ટર મલ્કાનગીરીના કાલીમેડામાં થયું છે. ઉલ્લેખનીય છે કે પલામુ જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસબળ અને  પલામુ જિલ્લા પોલીસની સંયુકત ટીમે વિશેષ તપાસ અભિયાન હેઠળ પ રાઇફલ અને ૧૫૩ શસ્ત્રો જપ્ત કર્યો હતા. પોલીસના જણાવ્યા મુજબ નકસલીઓને શસ્ત્રાનો ભવિષ્યમાં ઉપયોગ કરવાના હતુંથી પથ્થરો વચ્ચે છપાવીને રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી છતીસગઠમાં નકસલીઓએ ચુંટણીના કવરેજ માટે જઇ રહેલા પત્રકારો પર હુમલો કર્યો હતો. જેમાં દુરદર્શનના કેમેરામેનની ગોળી લાગવાની મોત થયું હતું.

આ ઉપરાંત રાજયમાં બીજાપુરમાં પણ નકસલીઓએ હુમલામાં જ જવાન શહીદ થયા હતા.(૨૨.૧૩)

(3:36 pm IST)