Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ઉત્તરાખંડમાં મિનિબસ ખાઈમાં ખાબકતા 7 ગુજરાતી સહીત નવ લોકોના મોત

મૃતકોમાં બે લોકો મહારાષ્ટ્રના :કુલ 13 લોકો ટેમ્પોમાં હતા સવાર :ઈજાગ્રસ્ત પંચને હોસ્પિટલમાં ખસેડાયા

 

નવી દિલ્હી :ઉત્તરાંખડમાં અગ્નગોત્રીથી પરત ફરતી વેળાએ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરૂણમોત નિપજ્યા છે બસ ખાઈમાં પડી જતા ઘટનાસ્થળે 9 લોકોના મોત થયા હતા  મૃતકોમાં સાત ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે.

 

   મળતી વિગત મુજબ યાત્રીકો રાજકોટના રહેવાસી છે. ગાડીમાં કુલ 13 લોકો સવાર હતા. બધા ગંગોત્રીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ટ્રાવેલર નૈનિતાલમાં રજીસ્ટર્ડ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માર્યા ગયેલા લોકોમાં સાત પુરુષ અને બે મહિલા છે. એક ઈજાગ્રસ્તની સારવાર ઉત્તરકાશીની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય ચાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ભટવાડીમાં દાખલ છે.

(11:40 pm IST)