Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 46 શિક્ષકોને નેશનલ ટીચર્સ એર્વોડથી સન્માનિત કર્યા

નવી દિલ્હી : દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે દેશના 46 શિક્ષકોને નેશનલ ટીચર એવોર્ડ 2019થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજ્ઞાન ભવનમાં જમ્મૂ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉતરાખંડ સહિત અન્ય રાજ્યોના શિક્ષકોને સન્માનિત કર્યા હતા

. માનવસંસાધન વિકાસ મંત્રાલય શિક્ષાના ક્ષેત્રમાં સારો દેખાવ કરનારા શિક્ષકોને નેશનલ ટીચર એવોર્ડ 2019 આપવામાં આવે છે. જે હેઠળ આ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(1:07 pm IST)