Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

૧૯૯રમાં 'જયશ્રી રામ'ના નારા સાથે સર્જાયેલુ સ્વપ્ન આજે પૂર્ણ : કારસેવાની યાદગાર તસ્વીરો

રાજકોટ : અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ખાતે વર્ષો અગાઉ કારસેવકોએ ''જયશ્રી રામ'' ના નારા સાથે મંદિર નિર્માણનું જે સ્વપ્ન જોયું હતું તે આજે પૂર્ણ થયું છે. કેમકે આજે આ સ્થળે ભવ્ય રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થયો છે. ત્યારે ૧૯૯રમાં થયયેલ કારસેવાની યાદગાર તસ્વીરોમાં કાર સેવામાં લાલકૃષ્ણ અડવાણીજી અને પ્રમોદ મહાજનની હાજરી અને બીજી તસ્વીરમાં કાર સેવામાં જોડાયેલા પપ્પાજી (પ્રાણલાલ દોશી પી.વી.દોશી સાહેબ, તે વખતના ગુજરાતના સર સંઘ સંચાલક)  હસુભાઇ દવે (અખિલ ભારતીય મજદુર સંઘના પ્રમુખ)અને કુંવરજીભાઇ જાદવ (તે  વખતના કિશાન સંઘ પ્રમુખ)નજરે પડે છે. (તસ્વીરઃ સહયોગ કશ્યપ શુકલ)

(4:46 pm IST)