Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામ લલ્લાના શરણે નરેન્દ્રભાઇ... તેરે દ્વાર ખડા એક જોગી

રાજકોટઃ આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. અયોધ્યામાં વિવાદી ભૂમિ પર ભગવાન શ્રી રામચંદ્રજીના અતિ ભવ્ય મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયું હતું. શિલાન્યાસ પૂર્વે વડાપ્રધાને ભાવપૂર્વક રામલલ્લાના દર્શન કર્યા હતા. રામલલ્લાને વડાપ્રધાને શાષ્ટાંગ દંડવત-પ્રણામ કર્યા હતા.આરતી પણ ઉતારી હતી. નરેન્દ્રભાઇ દેવી ઉપાસક છે. વર્ષોથી પ્રચારક એટલે કે સાધુ જેવું જીવન જીવ્યા છે. રામલલ્લાની આરતી ઉતારતા નરેન્દ્રભાઇનો ફોટો જોઇને ગીતના શબ્દો યાદ આવી જાય છે....''તેરે દ્વાર ખડા એક જોગી.''

(3:38 pm IST)