Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

એલઓસી પર ૧૦ પાકિસ્તાની સૈનિકો હણાયા

કેટલીય ચોકીઓને કરાઇ તબાહ

પૂંચ તા.પ : જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર અવાર નવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ સબક શિખવ્યો છે. તલાપાની વિસ્તારમાં ભારતીય જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઓછામાં ઓછ દસ સૈનિકો માર્યા ગયા છે. જયારે કેટલાય ઘાયલ પણ થયા છે. સેનાએ પાકિસ્તાનની ઘણી ચોકીઓ પણ તબાહ કરી છે.

એલઓસીપર ગઇકાલે સવારે લગભગ સાત વાગ્યે પાક સેનાએ પુંચ જીલ્લાના કૃષ્ણાઘાટી, મનકોટ સેકટરમાં એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને સેનાની ચોકીઓ સાથે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને તોપમારો શરૂ કર્યો હતો. પાક સેનાના આ નાપાક કરતુતોનો ભારતીય સેનાએ બરાબર જવાબ આપ્યો. જેના લીધે ત્રણેક કલાક પછી બંન્ને તરફથી તોપમારો બંધ થયો હતો. પાક. તોપમારોમાં મનકોટ ક્ષેત્રના ઘણા ઘરોને પણ નુકસાન પહોંચ્યુ અને કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા હતા. અચાનક તોપમારો શરૂ થતા ગ્રામીણોને સુરક્ષીત જગ્યાઓએ પહોંચીને જીવ બચાવવો પડયો. પછી ભારતીય સેના તરફથી પાકિસ્તાની સેનાની એ ચોકીઓ પર મોર્ટાર વરસાવવામાં આવ્યા જયાંથી તોપમારો કરાઇ રહયો હતો. પાકિસ્તાની ચોકીઓમાંથીધૂમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા.

(12:57 pm IST)