Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસ ૧૯ લાખ પાર

છેલ્લા ર૪ કલાકમાં પરપ૦૯ કેસ : ૮પ૭ ના મોત : કુલ મૃત્યુ આંક ૩૯૭૯પ : કુલ કેસ ૧૯,૦૮,રપ૪: ૧ર લાખ ૮ર હજારથી વધુ દર્દી સાજા થયા છે

નવી દિલ્હી, તા. પ :  આજે સવાર સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ના કુલ કેસ -૧૯ લાખ ને પાર કરી ગયા છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં પરપ૦૯ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને ૮પ૭ લોકોના મોત થયા છે.  દેશમાં કોરોના વાયરસના કુલ કેસ ૧૯,૦૮,રપ૪ થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં ૮પ૦ દર્દીઓના મોત થતા દેશમાં આવા બીમારીથી મરનારાની સંખ્યા વધીને ૩૯૭૯પ થઇ છે. દેશમાં અત્યાર સુધીમાં ૧ર,૮ર,ર૧પ લોકો સાજા થયા છે. અને છેલ્લા ર૪ કલાકમાં પ૧૭૦૬ દર્દી સાજા થયા છે.

દેશમાં રીકવરી રેટ ૬૭.૧૯ ચાલે છે. ગઇકાલે ૬,૧૯,૬પર સેમ્પલનું ટેસ્ટીંગ થયું હતું. અત્યાર સુધીમાં ર,૧૪,૮૪,૪૦ર સેમ્પલોનું ટેસ્ટીંગ કરાયું છે.

(11:14 am IST)