Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભગવાન રામ લલ્લાને સોળે શણગાર... લીલા રંગના વસ્ત્રોમાં પ્રભુના મનમોહક દર્શન

અયોધ્યા : ભગવાન શ્રી રામનગરી અયોધ્યામાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજન થયુ હતું. દરમિયાન ભૂમિપૂજન પહેલા રામલલ્લાની પહેલી તસ્વીર સામે આવી છે. રામલલ્લા લીલા રંગના સોનેરી અને રત્ન જડીત વસ્ત્રોમાં મનમોહક જોવા મળ્યા હતા. રામલલ્લાને સોળે શણગાર સાથે સજાવવામાં આવ્યા હતા. જે ઉપરોકત તસ્વીરમાં નિહાળી શકાય છે. જયારે અન્ય તસ્વીરોમાં સમગ્ર અયોધ્યા નગરીને ફુલો અને રંગોળીનો શણગાર કરવામાં આવ્યો છે. તો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથોસાથ સમગ્ર પરિસરને નિયમીતપણે સેનેટાઈઝ કરવામાં આવ્યુ હતું.

(11:13 am IST)