Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ઓડિશાના કંધમાલ જિલ્લામાં અથડામણમાં ૪ માઓવાદી ઠાર મયાયા : પોલીસે ટવીફટ મારફત જણાવ્યું

કંધમાલ: ઓડિશામાં કંધમાલ વિસ્તારમાં રવિવારે સુરક્ષદળો અને માઓવાદીઓની વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં ચાર માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓડિશા પોલીસે ટ્વીટ મારફતે જણાવ્યું છે કે, જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને માઓવાદી છૂપાયા હોવાની આશંકા થઈ હતી. સુરક્ષાદળો જ્યારે ફાયરિંગ કર્યું તો માઓવાદીઓ તરફથી પણ ફારયિંગ થયું હતું. ત્યારબાદ અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ 4 માઓવાદીઓને ઠાર માર્યા હતા.

આ ઘટના બાદ ચીફ સેક્રેટરી ઓડિશાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ઓડિશા પોલીસના અધિકારીઓ અને સુરક્ષાદળોને કંધમાલ ઓપરેશન માટે અભિનંદન. પોલીસ અને જવાનાઓ 4 માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમને આ સફળતાથી રાજ્યને ઉગ્રવાદથી મુક્ત કરાવવા અને રાજ્યના વિકાસમાં મદદ મળશે.

(3:34 pm IST)