Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ૩ માસુમ બાળકોની હત્યા કરીને પિતાનો પણ આપઘાતઃ પત્નિ શંકા કરતી હોવાથી પગલુ ભર્યું

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલા હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યા છે. શહેરના મસૂરી વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 માસૂમ બાળકોની હત્યાની કોશિશ કરીને પોતે પણ આત્મહત્યા કરી નાખી. 37 વર્ષના મૃતક આરોપી પ્રદીપનું મોત થઈ ગયું. પ્રદીપની પત્ની અને એક બાળકીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં તેમના મોત નિપજ્યાં. આ ઘટનાની જાણકારી પરિજનોને શુક્રવારે સવારે થઈ. ઘરમાંથી બાળકીના રડવાનો અવાજ આવતો હતો. ત્યારબાદ દરવાજો ન ખુલતા પોલીસને જાણ કરવામાં આવી અને દરવાજો  તોડીને અંદરથી કુંડી ખોલાઈ.

મૃતક આરોપી પ્રદીપ પાસેથી પોલીસને એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની તેના પર શક કરતી હતી. જેના કારણે તેણે બધાની હત્યા કરીને તેમના મોઢા પર ટેપ લગાવી દીધી. આ ઘટના મસૂરીના ન્યુશતાબ્દીપુરમ આઈડિયલ કોલેજ પાસે ઘટી.

એક બાળકી અને પત્નીને હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. પતિનું નામ પ્રદીપ (37), મૃતક આરોપીની પત્ની એમ્સમાં નર્સ હતી, ત્રણ બાળકો જેમની ઉંમર 8 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષ હતી તેમના પણ મોત નિપજ્યાં. એવું કહેવાય છે કે પ્રદીપને દારૂની લત હતી અને હાલ તે કોઈ કામ કરતો નહતો.

(5:06 pm IST)