Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

#Budget2019 : જનધન હેઠળ મહિલાઓને ૫૦૦૦નો ઓવરડ્રાફટઃ ૨૦૨૨ સુધીમાં ૩ ટ્રિલીયનની ઈકોનોમીઃ ૩ કરોડ વેપારીઓને પેન્શનઃ ભાડાના દરેકને ઘર-વિજળીઃ ૨૦૨૪ સુધીમાં ઘેર ઘેર નળ અપાશેઃ ચાલુ વર્ષે મકાન માટે કાનૂન બનશેઃ ઓકટો. સુધીમાં દેશ ખુલ્લામાં શૌચથી મુકત

ભારતને ઉચ્ચ શિક્ષણનું હબ બનાવાશેઃ સ્ટાર્ટઅપ માટે નવી ટીવી ચેનલઃ રોજ ૧૩૦થી ૧૩૫ કિ.મી.ના બન્યા રસ્તાઃ ભારતીય પાસપોર્ટવાળા એનઆરઆઈને આધારકાર્ડ :સરકારી બેંકોની કાર્યપ્રણાલી સુધારાશેઃ બેંકોને ૭૦,૦૦૦ કરોડની મદદઃ એનપીએ ૧ લાખ કરોડ ઘટયુઃ વિનિવેશનું લક્ષ્યાંક ૧ લાખ ૫૦૦૦ કરોડઃ નેત્રહીનો માટે ૫ અને ૧૦ના સિક્કા આવશેઃ એલઈડી બલ્બથી ૧૮૩૪૧ કરોડની બચતઃ સરકાર માટે ગામ-ગરીબ-ખેડૂત કેન્દ્ર સ્થાને

નવી દિલ્હી, તા. પ : નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0 નું પ્રથમ પૂર્ણ બજેટ (Budget 2019) સંસદ ભવનમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડીયા પર ભાર મુકયો છે. દેશનો દરેક વ્યકિત પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે, જોકે પહેલાં 11માં નંબર પર હતી. અમે અમારી યોજનાઓ પર અમલ કર્યો છે. ખાદ્ય સુરક્ષા પર ખર્ચ બમણો કરવામાં આવશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં દરેક લક્ષ્યને પુરો કરશે.  

નાણા મંત્રીએ કહ્યું કે મુદ્રા લોન દ્વારા લોકોની જીંદગીમાં પરિવર્તન આવ્યું છે. સરકારી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવીશું. દેશને પ્રદૂષણ બનાવવાનું લક્ષ્ય છે

મહિલાઓ માટે અલગથી જાહેરાત

મહિલાઓ માટે મોદી સરકારે અલગથી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓના વિકાસ વિના દેશનો વિકાસ થઇ ન શકે. નાણામંત્રીએ જાહેરાત કરી છે જે જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્વા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. વિજળીને લઇને તેમણે કહ્યું કે અમારી સરકારે 36 કરોડ LED બલ્બ વહેંચ્યા છે, તેના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયાની વાર્ષિક બચત થઇ છે. મોટાપાયે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે

સ્ટેન્ડ અપ ઇન્ડીયા હેઠળ દરેકને મળશે લાભ

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સ્ટેન્ડઅપ ઇન્ડીયા સ્કીમ હેઠળ મહિલાઓ, ST-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવુયં કે આગામી પાંચ વર્ષમાં 125000 કિમી રોડ બનાવવામાં આવશે, તેના માટે 80 હજાર 250 કરોડ રૂપિયા કરવામાં આવશે

અધ્યન કાર્યક્રમની જાહેરાત

રાજદ્યાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેંદ્વ બનાવવામાં આવશે. સાથે જ ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવશે. અમારું લક્ષ્ય ઓનલાઇન કોર્સને પ્રોત્સાહન આપવા પર છે. દેશમાં ‘…§Í¯•Í·’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, તેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને ભારત બોલાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે અલગથી કાયદાનો ડ્રાફ રજૂ કરવામાં આવશે

સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે નવી શિક્ષણ નીતિ લાવીશું. શિક્ષણ નીતિ પર સંશોધન કેંદ્વ પણ બનાવવામાં આવશે. નેશનલ રિચર્સ ફાઉન્ડેશન (National Research Foundation) બનાવાની જાહેરાત કરવામાં આવી. આદર્શ ભાડા કાયદો પણ બનાવવામાં આવશે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દુનિયાની ટોપ 200 કોલેજમાં ભારતની ફકત 3 કોલેજ છે, એવામાં સરકાર આ સંખ્યાને વધારવા પર ભાર મુકશે, પાંચ વર્ષ પહેલાં આ લિસ્ટમાં એક પણ ભારતીય કોલેજનું નામ ન હતું

નાણામંત્રીએ કહ્યું કે અત્યાર સુધી 26 લાખ દ્યરો બની ચૂકયા છે, 24 લાખ દ્યર આપવામાં આવ્યા છે. અમારો ટાર્ગેટ 2022 સુધી દરેકને દ્યર આપવાનો છે. 95 ટકાથી વધુ શહેરોને ODF જાહેર કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોને ફોનમાં સ્વચ્છ ભારત એપ છે. દેશમાં 1.95 કરોડ દ્યર આપવાનું લક્ષ્ય છે

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કર્યું છે. 5.6 લાખ ગામડા આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુકત થઇ ગયા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ઘ છે. અત્યાર સુધી 2 કરોડ લોકોએ ડિજિટલ રૂપથી સાક્ષાર બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ-શહેરી અંતરને દ્યટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.

અમારી સરકારે પાણી માટે જળશકિત મંત્રાલયની રચના કરી છે. પાણીના પુરવઠાના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. તેના દ્વારા દરેક દ્યર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 સુધી દરેક દ્યરે પાણી પહોંચાડવાનો લક્ષ્ય છે

પોતાના ભાષણમાં નાણા મંત્રીએ સ્ફૂર્તિ દ્વારા દેશમાં 100 નવા કલસ્ટર બનાવવામાં આવશે. 20  ટેકનોલોજી બિઝનેસ ઇંકયૂબેટર સ્થાપિત કરવામાં આવશે, તેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં હવે રોકાણ વધારવામાં આવશે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંદ્ય બનશે, દાળોના મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારો લક્ષ્ય આયાત પર ઓછો ખર્ચ કરવાનો છે. આ સાથે જ ડેરીના કામોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. અન્નદાતા હવે ઉર્જાદાતા પણ હોઇ શકે છે. ખેડૂતોને તેના પાકના યોગ્ય ભાવ આપવાનું અમારું લક્ષ્ય છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મહાત્મા ગાંધીનો વિચાર હતો કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે, અમારી સરકાર પોતાની દરેક યોજનામાં અંતોદયને પ્રોત્સાહન આપવા જઇ રહી છે. અમારી સરકારનું કેંદ્વ બિંદુ ગામડા, ખેડૂત અને ગરીબ છે. અમારો ટાર્ગેટ છે કે 2022 સુધી દરેક ગામમાં વિજળી પહોંચાડીશું. ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના દ્વારા દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે.

નાણામંત્રીએ ભાષણમાં કહ્યું કે મીડિયામાં પણ વિદેશી રોકાણની સીમા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વીમા સેકટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં વિકસ્યો છે. અમારી સરકાર આ તાકાતને વધારવા માંગે છે અને સેટેલાઇટ લોન્ચ કરવાને ક્ષમતાને વધારવામાં આવશે

નાણામંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, સાથે જ માત્ર 59 મિનિટમાં દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધુ નાના દુકાનદારોને મળી શકશે. અમારી સરકાર આ સાથે જ દરેકને દ્યર આપવાની યોજના પર પણ આગળ વધી શકે છે

સરકાર દ્વારા નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. તેને રૂપે કાર્ડની મદદથી ઉપયોગ કરી શકાશે, જેમાં બસની ટિકિટ, પાર્કિંગ ખર્ચ, રેલવેની ટિકિટ બધુ એકસાથે કરી શકાશે. આ સાથે જ સરકારે MRO ફોર્મૂલાને અપનાવવાની વાત કહી છે. જેમાં મેન્યૂફેકચરિંગ, રિપેરિંગ આવી ઓપરેટરનો ફોર્મૂલા લાગૂ કરવામાં આવશે

નાણામંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મનું છે. અમારી સરકારનું આગામી મોટું લક્ષ્ય જળમાર્ગને પ્રોત્સાહન આપવાનું છે. સાથે જ વન નેશન, વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેની બ્લ્યૂપ્રિંટ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે સાથે જ જાહેરાત કરવામાં આવી કે સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારી પર ભાર મુકી રહી છે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગૂ કરવામાં આવશે. રેલવેના માળખા માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે

ઓટો સેકટર માટે મોટી જાહેરાત કરવામાં આવી. ઇલેકિટ્રક વાહનોની ખરીદી પર મોટી છૂટની જાહેરાત આવી ઇલેકિટ્રક વાહની ખરીદી પર છૂટ મળશે. ઇલેકિટ્રક વાહનોની ખરીદી પર ઇંસેંટિવ પણ આપવામાં આવશે

 તેમણે કહ્યું કે અનાજ એકસપોર્ટ માટે 10 સૂત્રીય યોજના બની છે. તેમાં આયુષ્માન ભારત, વોટર મેનેજમેંટ, સ્વચ્છ ભારત, નદીઓની સફાઇ સામેલ છે. સ્પેસ પ્રોગ્રામ અને લોકોની સુરક્ષા માટે પણ કાર્યક્રમ બનાવવામાં આવ્યા છે

 નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાલા પ્રોજેકટ સાથે જોડાયેલા રસ્તાઓનો સારી રીતે વિકાસ થશે- ઉડાન સ્કીમ દ્વારા નાના શહેરોને જોડવામાં આવી રહ્યા છે. ભારતમાલા પ્રોજેકટથી કારોબારમાં વધારો થશે. નાણામંત્રીએ કહ્યું કે અમે આર્થિક વિકાસ વધારવાનું કામ કરી રહ્યા છીએ. અમારો ભાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ પર છે. અમે ન્યૂ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યા છીએ.

 નાણામંત્રીએ કહ્યું કે નોકરી માટે પણ ઙ્ગવધુ રોકાણની જરૂર છેતેમણે કહ્યું કે પરચેંજિંગ પાવર અનુસાર ભારત વર્લ્ડની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે. અમે 5 વર્ષમાં 1 લાખ કરોડ ડોલર ઇકોનોમીમાં ઉમેરી રહ્યા છીએ. સાથે જ ઇંફ્રા, ડિજિટલ ઇકોનોમી પર વધુ રોકાણની જરૂર પર ભાર મુકયો. નાણામંત્રીએ કહ્યું કે FY20 સુધી 3 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા હશે. અમે 2025 સુધી 5 લાખ કરોડ ડોલરની ઇકોનોમી બની જશે અને પીએમ મોદીના નેતૃત્વમાં લક્ષ્ય પ્રાપ્ત કરશે

 નાણામંત્રીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય સાર્થક છે. અમે મજબૂત દેશ માટે મજબૂત નાગરિકના ઉદ્દેશ્ય પર ચાલી રહ્યા છીએ, જે સાચી સાબિત થશે. નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે, પરફોર્મ રિફોર્મ અને ટ્રાંસફોર્મ માટે સિદ્ઘાંત મેળવી લીધા છે. હવે નવા ભારતની તસવીર સાચી થશે.

(3:59 pm IST)