Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પાકિસ્તાને ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઈદ અને તેના ત્રણ સાથીઓ વિરૂદ્ઘ કેસ દાખલ કર્યો, ભારતે કાર્યવાહીને ફગાવી

ભારતે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પહેલા પણ જોઈ ચૂકયા છીએ

નવી દિલ્હઃ પાકિસ્તાને આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના ૩ અન્ય સાથીઓ વિરૂદ્ઘ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ કર્યો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરૂદ્ઘ આ કાર્યવાહી કરી છે.

જો કે ભારતે પાકિસ્તાનની આ કાર્યવાહીને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. ભારતે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પહેલા પણ જોઈ ચૂકયા છીએ. સરકારી સૂત્રોએ WIONના આ વાત જણાવી.

ભારત તરફથી પાકિસ્તાનને કહેવાયું કે તેઓ પોતાના નિયંત્રણવાળા કોઈ પણ વિસ્તારમાં આતંકી સમૂહો પર કાર્યવાહી કરે અને આતંક માટેના ફંડિંગ પર રોક લગાવે.

જમાત ઉદ દાવાના ચાર મુખ્ય સભ્ય જેમના પર કાર્યવાહી કરાઈ છે તેમાં હાફિઝ મોહમ્મદ સઈદ, અબ્દુલ રહેમાન મક્કી (હાફિઝ સઈદનો બનેવી), આમિર હમઝા, અને મોહમ્મદ યાહયા અઝીઝ સામેલ છે

આ બાજુ હાફિઝના જે પ્રમુખ ટ્રસ્ટો સામે આ કાર્યવાહી કરાઈ છે તેમાં દાવત ઈરશાદ ટ્રસ્ટ, મોઅઝ બિન જબલ ટ્રસ્ટ, અલ અનફાલ ટ્રસ્ટ, અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અલ હમ્દ ટ્રસ્ટ જે લાહોર, ગુજરાનવાલા, અને મુલ્તાન જેવા પ્રમુખ પાકિસ્તાની શહેરોથી કામ કરે છે તે સામેલ છે.

પાકિસ્તાનની પંજાબ સરકારના અધિકારીઓએ WION સાથે વાત કરતા કહ્યું કે મામલાઓથી માલુમ પડે છે કે આ લોકો આતંકી ગતિવિધિઓને સુવિધાજનક બનાવવા માટે ફંડ ભેગુ કરવામાં સામેલ હતાં અને ચેરીટીની આડમાં કામ કરતા આ સંગઠન આતંકી સંદિગ્ધોને ફંડિંગ કરે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

(11:33 am IST)