Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મધ્યપ્રદેશના આ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે અપાય છે સોના - ચાંદીના આભૂષણો

ભોપાલ :મધ્ય પ્રદેશના રતલામમાં મહાલક્ષ્મી મંદિર આવ્યું છે. જ્યાં પ્રસાદ તરીકે આભૂષણો આપવામાં આવે છે. મંદિરમાં દિવાળી સમયે કુબેરનો દરબાર ભરાય છે. આ દિવસોમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના અને ચાંદીના આભૂષણો સાથે રોકડ રકમ પણ અપાય છે.
  આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર સોના-ચાંદી અને પૈસાનું દાન કરે છે.

(8:59 pm IST)