Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કોંગ્રેસે હૈદ્રાબાદમાં જંગી રેલી યોજી તાકાત બતાવી

મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મુસ્લિમ સમુદાય સાથે છેતરપીંડી કરી : ચૂંટણી વચન પૂરૃં કરો : નોકરી - શિક્ષણમાં ૧૨ ટકા અનામત આપો

હૈદ્રાબાદ તા. ૫ : તાકાતપ્રદર્શનમાં કોંગ્રેસે સોમવારે એક જંગી રેલી યોજીને ટીઆરએસ સરકારને તેલંગાણાના મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં ૧૨ ટકા અનામત આપવાનું તેનું મહત્વનું ચૂંટણી વચન પૂરૃં કરવાનું કહ્યું છે.

જીએચસીસી લઘુમતીઓના વિભાગના ચેરમેન શેખ અબ્દુલ્લાહ સોહેલ દ્વારા યોજવામાં આવેલી મુસ્લિમોને ૧૨ ટકા અનામત આપવા માટેની પદયાત્રાનું નેતૃત્વ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસીસી)ના પ્રમુખ કેપ્ટન એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કર્યું હતું. પદયાત્રામાં પક્ષના હજારો કાર્યકરોએ ભાગ લીધો હતો.(૨૧.૨૩)

 

(4:36 pm IST)