Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પૂણેની એક શાળાએ નક્કી કર્યો છોકરીઓના આંતરિક વસ્ત્રોનો કલર, ટોયલેટ જવાનો ટાઇમ પણ જણાવ્યો

વાલીઓનો આરોપ છે કે શાળાએ વિદ્યાર્થીનીઓની ડાયરીમાં નિયમોનું એક લાંબુ લિસ્ટ લખાવ્યું છે જેને ફરજીયાત રૂપે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે

પુણે તા. ૫ : એમઆઈટી વિશ્વ શાંતિ ગુરૂકુળે છાત્રાઓના આંતરિક વ સ્ત્રોનો કલર નક્કી કર્યો છે. સ્કૂલ પ્રમાણે તે સફેદ કે સ્કિન કલરના હશે. આટલું જ નહીં સ્કૂલે છાત્રાઓ માટે ૨૦ થી ૨૨ જટિલ નિયમ ફરજીયાત તકયા છે, જેના ભંગ કરવા બદલ ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, આ પગલું યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યું છે. ત્યારબાદ પરિવારજનોએ શાળા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

વાલીઓનો આરોપ છે કે, શાળાએ વિદ્યાર્થીનીઓની ડાયરીમાં નિયમોનું એક લાંબુ લિસ્ટ લખાવ્યું છે. જેને ફરજીયાત રૂપે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. શાળા તરફથી બાળકોના માતા-પિતાને નિયમ પાલનને લઈને એક એફિડેવિડ પણ સાઇન કરીને જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે, જે વાલીઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની વિરુદ્ઘ કેસ દાખલ કરવામાં આવશે.

શાળાનું નવું સત્ર ૧૫ જૂનથી શરૂ થયું છે અને વિદ્યાર્થીનીઓને ૨ જુલાઈએ ડાયરી આપવામાં આવી છે. પરિવારજનોએ બુધવારે આના વિરુદ્ઘમાં સ્કૂલ બહાર પ્રદર્શન પણ કર્યું. તેની ફરિયાદ પ્રાથમિક શિક્ષણના ડાયરેકટરને પણ કરવામાં આવી છે.

શું છે નવા નિયમ?

- નવા નિયમ પ્રમાણે, વિદ્યાર્થીનીઓ ડ્રેસની નીચે આંતરિક વસ્ત્રો સફેદ અથવા સ્કિન કલર સિવાય કોઈ કલરના ન પહેરી શકે.

- ઇમરજન્સી સિવાય શાળાના બાથરૂમનો એક નિશ્ચિત સમય પર ઉપયોગ કરવામાં આવશે.

- શાળાના વિદ્યાર્થીઓ પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે જો વિદ્યાર્થીઓ પાણી અને લાઇટનો બિનજરૂરી ઉપયોગ કરતા પડકાશે તો.

- તે સિવાય ૫૦૦ રૂપિયાનો દંડ ત્યારે પણ ફટકારવામાં આવશે જયારે સેનેટરી પેડ્સને યોગ્ય રીતે કચરા પેટીમાં ફેકવામાં નહીં આવે.

- શાળાના વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓ માટે પણ નિયમાવલી બનાવવામાં આવી છે. તેમાં તે એકબીજા સાથે વાત નહીં કરે, શાળાની વિરુદ્ઘ આંદોલન નહીં કરે, પ્રશાસન અને મીડિયા સાથે વાત નહીં કરે. - શાળા સંચાલકોએ સાયકલ પાર્કિંગ માટે પણ મોટી રકમ વસુલવાનું નક્કી કર્યું છે. આ સિવાય આ ભાડા માટે ૧૫૦૦ રૂપિયા એડવાન્સ ભરવાના રહેશે. વાલીઓએ સફાઈનો ખર્ચ પણ ઉઠાવવાનો રહેશે.

વાલીઓ વકર્સ સમિતિ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ જારી છે. એક વાલીનું કહેવું છે કે, સફાઇ, વિજળીની બચત, પાણી બચાવવું અને વ્યકિતગત સ્વચ્છતાની તમામ વાતો સારી છે, પરંતુ શાળાએ તેના માટે દંડ ફટકારવાની જગ્યાએ વિદ્યાર્થીઓમાં જાગરૂતતા વધારવી જોઈએ. (૨૧.૫)

(10:17 am IST)