Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ધારાસભ્ય સ્વૈચ્છિક રાજીનામુ આપે એટલે સ્વીકારવાની મારી ફરજ

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કહે છે

તસ્વીરમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રાજીનામુ સુપ્રત કરતા કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા નજરે પડે છે.

ગાંધીનગર, તા. ૫ :. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોના રાજીનામા અંગે વિગતો આપતા જણાવ્યુ હતુ કે વિધાનસભાની ગૃહથી કોઈ પણ સભ્ય મને રાજીનામુ આપે તે મારે સ્વીકારવુ પડે છે.

અધ્યક્ષે વધુમાં જણાવ્યુ હતુ કે ધારાસભ્ય પોતે પોતાનું સ્વૈચ્છીક રાજીનામુ આપે ત્યારે મારી ફરજ છે સભ્યોની સહી ચકાસણી કરવી અને તેમની વાત મારે સ્વીકારવી પડે છે.ગઈકાલે મોડી રાત્રે મારી પાસે આવ્યા મેં મારૂ રાજીનામુ સ્વૈચ્છીક રીતે આપેલ છે. મારા પર કોઈ ધાકધમકી રહેલી નથી તેમ તેમણે જણાવ્યુ હતું.

(3:49 pm IST)