Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

યુપીમાં કન્ટેનર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 મહિલા અને 2 બાળકો સહીત 9 લોકોના કમકમાટીભર્યા મોત

તમામ લોકો રાજસ્થાનથી માંગલિક પ્રસંગમાં ભાગ લઈને બિહારના ભોજપુર પરત જઈ રહ્યા હતા

પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભીષણ માર્ગ અકસ્માત  સર્જાયો છે. કન્ટેનર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોવાની વાત સામે આવી છે. તમામ લોકો રાજસ્થાનથી માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને બિહારના ભોજપુર પરત જઈ રહ્યા હતા.

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી. એક તરફ વરસાદ અને વહેલી પરોઢના કારણે ડ્રાઇવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 તમામ મૃતક બિહારના ભોજપુર જઈ રહ્યા હતા. આ તમામ લોકો રાજસ્થાનમાં માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા. પોલીસે તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે

(12:35 pm IST)