Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

RLD નેતા અજીતસિંહ દ્વારા ઈફ્તાર પાર્ટી :માયાવતી અને અખિલેશ યાદવને નિમંત્રણ

જયંત ચૌધરી અને કૈરાનાની વિજેતા ઉમેદવાર સાંસદ તબસ્સુમ હસન પણ હાજર રહેશે

 

લખનૌ :આરએલડીના નેતા અજીતસિંહ દ્વારા લખનૌ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બીએસપી સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

  આરએલડી દ્વારા આયોજીત ઇફતારમાં કોંગ્રેસ, બીએસપી અને સપાના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આરએલડીના સ્થાનિક નેતાઓ ઉપરાંત જયંત ચૌધરી અને કૈરાનાની વિજેતા ઉમેદવાર સાંસદ તબસ્સુમ હસન પણ હાજર રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કૈરાનાની પેટાચૂંટણીમાં આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસનના સમર્થનમાં વિપક્ષી પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જેના પરિણામે આરએલડીએ ચૂંટણીમાં ભાજપને હાર આપી.

(1:05 am IST)