Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જમ્મુ કાશ્મીરમાં હુર્રિયત કોન્ફરન્સનું પ્રમુખપદ સંભાળનાર મોહંમદ અશરફનું કોરોનાએ જીવન છીનવી લીધું


જમ્મુ: માર્ચ ૨૦૧૮ માં તેહરીક-એ-હુર્રિયતના અધ્યક્ષ પદ સંભાળનારા મોહમ્મદ અશરફ અશહર સાહેરીનું આજે સરકારી મેડિકલ કોલેજ જમ્મુ હોસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું.  મંગળવારે તબિયત લથડતાં  ઇમરજન્સીમાં તેમને જમ્મુની સ્ટેટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાહેર સલામતી અધિનિયમ હેઠળ ઉધમપુર જેલમાં તેઓ અટકાયતમાં હતા

(10:12 pm IST)