Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

તબલીગી જમાતમાં આવેલા આઠ મલેશિયનોને રેસ્ક્યુ વિમાનમાથી ઉતારી લેવાયા

નવી દિલ્હી : દિલ્હી ખાતે તબલીગી જમાતના કાર્યક્રમમાં વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી હાજર રહેલા આઠ મલેશિયનોને આજે મલેશિયા જઈ રહેલા રેસ્ક્યુ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ ભરતમાં અટવાઈ ગયેલા 30 મલેશિયાનોને ખાસ ફ્લાઈટમાં કુઆલાલંપુર લઈ જઈ રહી હતી. વિદેશથી આવેલા તબલિગી લોકોએ ભારતમાં મોટી માત્રામાં કોરોના ફેલાવી દીધો છે. આવા 900 લોકોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં  તબલીગી જમાતના  કાર્યક્રમમાં હાજરી આપનાર 20,000 લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.

(4:35 pm IST)