Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

બોલિવુડની ગાયિકા કનિકા કપુર સંપૂર્ણ ભયમુકત : ૬ ઠ્ઠો રીપોર્ટ નેગેટીવ આવ્યો : જો કે હજુ ઘેર નહિ જઇ શકે

નવી દિલ્હીઃ લંડનથી ભારત પરત ફર્યા બાદ કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થયેલી બોલીવુડની ગાયિકા કનિકા કપૂરનો આખરે છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લખનઉ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર આર.કે. ધીમાને કહ્યું, તેનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને ઘરે જવાની મંજૂરી આપતા પહેલા અમે વધુ એક ટેસ્ટ કરીશું. 

જો તેનો બીજો ટેસ્ટ પણ નેગેટિવ આવે છે તો કનિકાને આ સપ્તાહે ઘરે જવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કનિકાની મુશ્કેલી વધવાની સંભાવના છે. 

કોરોના વાયરસથી સંક્રમિત હોવા અને શહેરમાં ખુદને આઇસોલેટ કરવાના અધિકારીઓએ આપેલા નિર્દેશો છતાં શહેરના વિભિન્ન સામાજીક કાર્યક્રમોમાં ભાગ લેવાને લઈને અને બેદરકારીના આરોપમાં કનિકા પર ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

તેની વિરુદ્ધ શહેરના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા (આઈપીસી)ની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધાયો છે. 

આ એફઆઈઆર લખનઉના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે. તે દેશની પ્રથમ સેલિબ્રિટી છે, જે આ ઘાતક સંક્રમણનો ભોગ બની હતી. 

(3:34 pm IST)