Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ઓસ્ટ્રેલિયામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શીખ લોકો : કોરોના વાઇરસને કારણે ભોજનથી વંચિત લોકો માટે સેવા શરૂ

સિડની : થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ફાટી નીકળેલી આગ વખતે મદદરૂપ થનાર શીખ વોલન્ટિયર્સ ઓફ  ઓસ્ટ્રેલિયા હવે કોરોના વાઇરસ સમયે પણ જરૂરિયાતમંદ લોકોની વહારે આવ્યું છે.
આ સંજોગોમાં ભોજનથી વંચિત થઇ રહેલા લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.જે બદલ વિક્ટોરિયાના પ્રધાન મંત્રીએ પણ તેઓને બિરદાવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:20 pm IST)