Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મુંબઇ -એરપોર્ટ સતત ચોથા વર્ષે 'શ્રેષ્ઠ એરપોર્ટ' ઘોષિત

મુંબઇ,તા. ૫: જીવીકે ગ્રુપ એરપોર્ટ્સ બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેના દ્વારકા સંચાલિત મુંબઇનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ) સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું છે. ચાર કરોડથી વધુ પ્રવાસીઓની અવરજવરની કેટેગરીમાં કદની દ્રષ્ટિએ મુંબઇ એરપોર્ટ શ્રેષ્ઠ ઘોષિત કરાંયુ છે.

વૈશ્વિક એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં કોરોના વાયરસને કારણે સૌથી પડકારજનક બનેલા ૨૦૨૦ના વર્ષમાં પણ ગ્રાહકોને પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ અને સેવાઓ પુરી પાડીને એમને સર્વોતમ સેવા મળ્યાનો અનુભવ કરાવવામાં સમર્પણ અને પ્રતિબધ્ધતા દર્શાવવા બદલ શિવાજી મહારાજ એરપોર્ટની સરાહના કરવામાં આવી છે.

(10:22 am IST)