Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર વીજળી-પાણીની વ્યવસ્થા શરૂ કરો :વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ

નવી દિલ્હી : ખેડૂત આંદોલન સ્થળ પર વીજળી અને પાણીની વ્યવસ્થા માટે 10 વિપક્ષી  સાંસદોએ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખ્યો છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોને આંદોલન સ્થળ પર જે એક્શન લેવામાં આવી રહ્યા છે. તેમને રોકવામાં આવ્યા હતા

   વિપક્ષી સાંસદોએ અમિત ભાઈ શાહને ચિઠ્ઠી લેખીન માંગ કરવામાં આવી છે. આંદોલન સ્થળ પર વીજળી, પાણીનો સપ્લાય શરુ કરી દેવામાં આવે. સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે. આ પત્રમાં 10 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં દિગ્વિજય સિંહ, સંજય સિંહ, મનોજ ઝા, રામ ગોપાલ યાદવ, તિરુચી સિવા સહિત અન્ય 10 સાંસદો સામેલ છે

(12:49 pm IST)