Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘર પર જ રહેશેઃ દર્દીઓને ટ્રિપલ લેયર માસ્‍ક પહેરવાની સલાહ

કોરોના વાયરસ અંગે કેન્‍દ્ર સરકારની નવી ગાઇડલાઇન

 

નવી દિલ્‍હી, તા.૫: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને જોતા કેન્‍દ્ર સરકારે કોવિડ-૧૯ સંક્રમણ અંગે નવી ગાઈડલાન બહાર પાડી છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ નવી માર્ગદર્શિકા મુજબ હળવા લક્ષણોવાળા દર્દીઓ દ્યર પર જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્‍ક પહેરવાની સલાહ અપાઈ છે.

કોરોના દર્દીઓના હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન

* વૃદ્ધ દર્દીઓને ડોક્‍ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી

* હળવા લક્ષણોવાળા દર્દીઓ દ્યરે રહેશે. તેમના માટે પ્રોપર વેન્‍ટિલેશન જરૂરી છે.

* દર્દીને ટ્રિપલ લેયર માસ્‍ક પહેરવાની સલાહ.- દર્દીને વધુ પ્રમાણમાં લિક્‍વિડ લેવાની સલાહ.

* જે દર્દી એચઆઈવી હોય, જેમનું ટ્રાન્‍સપ્‍લાન્‍ટ થયું હોય કે કેન્‍સર પીડિત હોય તેઓ ડોક્‍ટરની સલાહ બાદ જ હોમ આઈસોલેશનમાં રહી શકશે.

* લક્ષણો વગરના અને હળવા લક્ષણોવાળા દર્દી જેમનું ઓક્‍સીજન સેચ્‍યુરેશન ૯૩ ટકાથી વધુ હોય તેમને હોમ આઈસોલેશનની મંજૂરી છે.

* હોમ આઈસોલેશનમાં રહેતા માઈલ્‍ડ અને એસિમ્‍પ્‍ટોમેટિક દર્દીઓએ જિલ્લા સ્‍તર પર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહવું પડશે. જેથી કરીને તેમને જરૂર પડ્‍યે ટેસ્‍ટિંગ અને હોસ્‍પિટલ બેડ સમયસર ઉપલબ્‍ધ કરાવી શકાય.

* દર્દીના સ્‍ટેરોઈડ લેવા પર રોક છે. આ ઉપરાંત ડોક્‍ટરની સલાહવગર સિટી સ્‍કેન અને ચેસ્‍ટ એક્‍સરે કરાવવાની પણ મનાઈ છે.

* પોઝિટિવ આવ્‍યા બાદ હોમ આઈસોલેશનમાં  ૭ દિવસ રહેવા અને સતત ૩ દિવસ સુધી તાવ ન આવતા હોમ આઈસોલેશન ખતમ થઈ જતા હોમ આઈસોલેશન પૂરું થયેલું ગણાશે. ફરીથી ટેસ્‍ટની જરૂર નહીં રહે.

(3:36 pm IST)