Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બિહારમાં પૂરઝડપે કોરોના ભાગ્‍યોઃ બે નાયબ મુખ્‍યમંત્રી સહિત સંખ્‍યાબંધ પ્રધાનોને કોરોના વળગ્‍યોઃ નીતીશકુમારે યાત્રા સ્‍થગિત કરી

 નવી દિલ્‍હીઃ બિહારમાં કોરોના વાયરસના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. નીતીશ કુમાર સરકારે ઝડપથી વધી રહેલા સંક્રમણને જોતા નિયંત્રણો લાદ્યા છે. આ દરમિયાન રાજ્‍યના બંને નાયબ મુખ્‍યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્‍યું છે. આ સિવાય કેબિનેટ મિનિસ્‍ટર સુનિલ કુમાર, અશોક ચૌધરી અને વિજય ચૌધરી પણ કોરોના પોઝિટિવ મળી આવ્‍યા છે.  કોરોનાની સ્‍થિતિને જોતા સીએમ નીતિશ કુમારે તેમની સામાજિક સુધારણા યાત્રા સ્‍થગિત કરી દીધી છે.


 

(3:01 pm IST)