Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વધુ એક એન્કાઉન્ટર: ૩ આતંકવાદીઓ માર્યા ગયા: બે અમેરિકન એમ-ફોર સ્નાઈપર રાઈફલ્સ પણ મળી આવી

જમ્મુ: પુલવામાના ચાંદગામમાં આજે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર રેન્જના આઈજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના હતા. આ વર્ષના પ્રથમ પાંચ દિવસમાં આ પાંચમું એન્કાઉન્ટર હતું.  ૫ દિવસમાં ૮ આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં ૫ આતંકવાદીઓ માર્યા ગયા છે.
 

(10:03 am IST)