Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત સુધારા પર : સાંજે થોડો પ્રસાદ લીધો

ગોરા ખાતે પૂ, હરિચરણદાસજી દસેક મિનિટ બેઠા :ઇન્ફેક્શન ઉપર દવા અસર કરવા લાગી: બાપુના અનન્ય સેવક નીતિનભાઈ રાયચુરાએ ઓડિયો ટેપ દ્વારા આપી જાણકારી

પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત સુધારા પર હોવાનું અને તેમણે આજે સાંજે થોડો  પ્રસાદ લીધાનું એક ઓડિયો ટેપ દ્વારા બાપુના અનન્ય સેવક શ્રી નીતિનભાઈ રાયચુરાએ જણાવ્યું છે. આજે સાંજે ગોરા ખાતે પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દસેક મિનિટ બેઠા હતા અને થોડો પ્રસાદ લીધો હતો. તેમની તબિયત સવાર કરતા અત્યારે સારી એવી સુધારા ઉપર છે અને ઇન્ફેક્શન ઉપર દવા અસર કરવા લાગી ગોંડલ રામજી મંદિર હોસ્પિટલના ડોક્ટર ભટ્ટ અને અન્ય મેડિકલ સ્ટાફ ગોરા પહોંચી ગયો છે.

(12:00 am IST)