Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કેમ અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેના દીકરા નિર્વાન ખાન સામે નોંધાઈ FIR?

આ અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન હોટેલમાં કવોરન્ટિન થવાના બદલે સીધા ઘરે જતા રહ્યા હતા

મુંબઇ,તા. ૫: બોલિવૂડ એકટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાનની સામે બીએમસીએ FIR નોંધાવી છે. આ લોકોએ મુંબઈ એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ખાન પરિવારે એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવાની સાથે-સાથે તેઓ એરપોર્ટથી ભાગી ગયા હતા.

બીએમસી અનુસાર, બોલિવૂડ એકટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન તારીખ ૨૫ ડિસેમ્બરે દુબઈથી મુંબઈ આવ્યા હતા. એરપોર્ટથી હોટેલ તાજ લેન્ડ્સ એન્ડનું બુકિંગ હોવાની વાત જણાવીને તેઓ ત્રણેય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ, આ બોલિવૂડ એકટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન હોટેલમાં કવોરન્ટિન થવાના બદલે સીધા ઘરે જતા રહ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, સેકશન ૧૮૮ અને ૨૬૯ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લગભગ એક અઠવાડિયા સુધી તપાસ ચાલી અને ત્રણેયના નિવેદન પછી બેદરકારી જાણવા મળતા પોલીસે કેસ નોંધ્યો છે.

(9:29 am IST)